Design a site like this with WordPress.com
Get started

૪૨. સાધન શુદ્ધિ

રાજકારણ એટલે સિદ્ધાંતોની ઐસી તૈસી જ કહેવાય! જ્યાં કદાચ સિદ્ધાંતો સમય અને સંજોગો પ્રમાણે સતત બદલાતાં રહે છે, તેનું જ નામ રાજકારણ! આવા રાજકારણમાં સિદ્ધાંતવાદી માસ્તરકાકા ચૂંટણી કેવી રીતે જીત્યા? અને એમણે જીત્યા પછી રાજીનામું કેમ આપી દીધું? રાજકારણમાં નિયમને અને સાધન શુદ્ધિને શું કોઈ સ્થાન જ નથી?

૩૬. કોણ સમજદાર?

મમ્મી આટલા વખત પછી પણ એના જુનવાણી સ્વભાવમાંથી બહાર આવી નથી. એણે તો વહુને વહુ તરીકે પણ સ્વીકારી નથી. સાસુપણું બજાવવાનો એનો મોહ છૂટતો નથી. અને પપ્પા તો એમ કહીને મહેણાં જ મારે ‘લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય’

૨૭. છેલ્લી મુલાકાત

‘કુછ તો લોગ કહેંગે..’ લોકોને કોઈના પણ વ્યક્તિગત જીવન પર ટીકાટિપ્પણી કરવાની એક સામાન્ય ટેવ હોય છે, જે તેના સામાજિક જીવનને હલબલાવી નાંખે છે. સામાજિક જીવનના માપદંડો કેટલીક વખત વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ બની જતાં હોય છે.

૨૬. પ્રેમ અને પુરાવા

બાળકોને પ્રેમ કરવા માટે તેઓને જન્મ આપવો જરૂરી જ છે?
જન્મદાતા પોતાના સંતાનોને કાયમ પ્રેમ કરે છે ખરા?
અદાલત પ્રેમના કયા પુરાવાઓ માન્ય રાખે?
જન્મ ન આપ્યો હોય તેવી વાત્સલ્યસભર વ્યક્તિ બેજવાબદાર માતા-પિતાના સંતાનનો કબજો માંગી શકે?
વિવાદાસ્પદ અને પેચિદા સંજોગો ક્યારેક અનેક સવાલો ઊભા કરે છે.

૨૫. વીતેલી ક્ષણોનું પુનરાગમન

પ્રેમ એ તો પરસ્પરના સમજદારીભર્યા અધિકારનો સંબંધ છે. અણસમજમાં જ્યારે અહમ્ વચ્ચે આવી જાય ત્યારે અકારણ અનર્થ સર્જાઈ જતો હોય છે. ત્યારે જિંદગીભરનો પસ્તાવો હાથમાં રહી જાય છે.

૨૪. વિપરીત કાટલાં

ભારતીય સમાજમાં સાસુ અને વહુના સંબંધો પ્રેમાળ હોવાને બદલે વણસેલા વધુ જોવા મળે છે. દીકરી સાસરે જઈને બધો કારભાર સંભાળી લે તો વખાણ અને એવી રીતે ઘરની વહુ જો કરવા જાય તો વગોવણી. પુત્રવધૂ ભાગ્યે જ દીકરી લાગતી હોય છે.

૨૩. શાશ્વતની સફર

સૈનિક પોતાના હથેળીમાં મોતને બહાદૂરીપૂર્વક લઈને જીવતો હોય છે. એની સાથે એની મા અને પત્ની પણ એ જ મોતને સાહસિકતાપૂર્વક ખમી જનારા લડવૈયા હોય છે. તેઓના સ્મરણોની સાથે પોતાની એકલતાને પણ બહાદૂરીપૂર્વક ખમી જાય છે.

૨૨. પારકું સપનું

સારાંશઃ
બાળકોને પોતાના સપનાં પણ હોય છે. ખલીલ જિબ્રાન કહે છે કે, માતા-પિતા સંતાનોના ટ્રસ્ટી છે, માલિક નહીં. બાળકોને માત્ર ડૉક્ટર, એન્જિનિયર, મેનેજર બનાવવાની હોડમાં તેનું વ્યક્તિત્વ જ ન છીનવાઈ જાય તે વિચારવું અતિ આવશ્યક છે.

૨૧ ઘટમાળની બહાર

બે બહુ બુધ્ધિશાળી અથવા બે એકદમ મૂર્ખાની મૈત્રી જ ટકતી જોવા મળે છે. એમાં કજોડું ન ચાલે… પરંતુ ક્યારેક આવી વિધાયક પરિસ્થિતિમાં પણ વિરુધ્ધ પરિણામો આવે છે… અને એ પછી એવા પ્રસંગો બની જતા હોય છે કે એમાંથી અવનવા વળાંકો જન્મ લે છે.

૨૦ શોધ

જીવનની પળે પળમાં કોઈક રહસ્ય છૂપાયેલું જ હોય છે અને એ રહસ્યોને શોધવાની વ્યર્થ ચિંતામાં આપણે જે ક્ષણો ગુમાવીએ છીએ, એનું નામ જ કદાચ જિંદગી છે. શા માટે આપણે અગણિત રહસ્યમય પળની પાછળ પડીને સમય વ્યતીત કરીએ?