સત્યને શોધવું ક્યા?
શાસ્ત્રો માત્ર રાખ છે.
જીવન કોને કહેવાય?
નીતિમત્તા બધી ખાક છે.
સંવેદના જરુરી છે?
બુધ્ધિ માત્ર રાંક છે.
હું કોણ છું?
મનને વળેલી ઝાંખ છે.
ધર્મ શું છે?
ભીતર મળેલી આંખ છે.
મૃત્યુ શું છે?
જીવનનો અંતિમ પાક છે.
પ્રેમ શું છે?
અહં ઓગળવાનો તાપ છે.
શાંતિ શું છે?
અશાંતિ જાણ્યાનું પાપ છે.
જ્ઞાન શું છે?
અજ્ઞાની હોવાનો શાપ છે.